This genealogy report is about Chudasama Jadav.It contains 535 individuals and 135 families, and also 1 Picture from the family tree.
આદિ વિજયનગરથી ભાઈઓનો પરિવાર ગોકુળ, મથુરા, શોણિતપુર, સિદ્ધપુર, પાટણ થઈ જૂનાગઢ, વેરાવળ, માંગરોળ, દીવ અને મુંબઈમાં કામ ધંધા અર્થે આવીને વસયાં.
ચુડાસમા પરિવારોની કુળદેવી
કુળદેવીને સારા અન્ય પ્રસંગે નૈવેદ્યની પ્રણાલિકાઓ
OR કુળદેવીને સારા અન્ય પ્રસંગે નૈવેદ્ય અર્પણ કરવાની માહિતી
ચૂડાકરણ અથવા મુંડન સંસ્કાર નિમિત્તે કુળદેવીના નૈવેદ્ય
છોકરો અથવા છોકરીના ચૂડાકરણ અથવા મુંડન સંસ્કાર તેઓ જ્યારે સવા વર્ષની ઉંમરના થાય ત્યારે કરવામાં આવે છે. વાળંદને અખિયાણામાં ઘઉં, ૧ રૂપિયો, સોપારી, કંકુ અને ચોખાનો ચાંદલો કરેલ કપડું (ધોતિયું) આપવામાં આવે છે. ત્યારબાદ બાળકને દૂધ અને પાણીથી સ્નાન કરાવવામાં આવે છે.
કુળદેવીને સ્નાન કરાવવાની તેમજ લેપન કરવાની જરૂરી સામગ્રી અને વસ્તુઓ
એક કળશિયામાં દૂધ, દહીં, ઘી, મધ, તથા ખાંડનું મિશ્રણ, ૧ કળશિયામાં પાણી, સવા શેર સિંદૂર, ///ચોખા, સોપારી,/// ઘી, દીવો, અગરબત્તી, ફૂલ અને લાલ રંગની રેશમી જમણી
કુળદેવીને સ્નાન કરાવવાની તેમજ લેપન કરવાની વિધિ
કુળદેવીને પંચામૃત અને પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ સિંદૂરનું લેપન કરી ///ચોખા, સોપારી,//// સિંદૂર અને ઘીનું લેપન કરી ધૂપ-દીપ અને પુષ્પથી પૂજન અર્ચન કરવામાં આવે છે અને લાલ રંગની રેશમી જમણી ચડાવવામાં આવે છે.
કુળદેવીને નૈવેદ્ય ધરવા માટેની જરૂરી સામગ્રી
સવા પાલી ઘઉંનો લોટ – લાપસી બનાવવા માટે એક નાળિયેર
કુળદેવીને નૈવેદ્ય ધરવા માટેની વિધિ
કુળદેવી પાસે ધૂપ-દીપ કરી એક જમણી ચડાવવામાં આવે છે. લાપસી તેમજ એક નાળિયેર ધરવામાં આવે છે. ત્યારબાદ આ નાળિયેર વધેરી તેના પાણીથી આ સમગ્ર નૈવેદ્યને ધારાવાડી દેવામાં આવે છે.
(લગ્ન નિમિત્તે કુળદેવીના નૈવેદ્ય (TBC)
લગ્ન પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાના શણગારેલા મંડપનું પૂજન કરાય છે. પછી રાંદલનાં લોટા તેડવામાં આવે છે અને તેમને શીરો અને નાળિયેર ધરવામાં આવે છે. આ પ્રસંગે ચૌદ ગોરણીને આમંત્રણ આપવામાં આવે છે જેમાં પાંચ કુંવારી કન્યા હોય છે. ગોરણીઓને ખીર રોટલીનો પ્રસાદ અને મિષ્ટાન્ન સાથેનું ભોજન આપવામાં આવે છે.)
કુળદેવીને સ્નાન કરાવવાની અને લેપન કરવાની જરૂરી સામગ્રી અને વસ્તુઓ
એક કળશિયામાં દૂધ, દહીં, ઘી, મધ, તથા ખાંડનું મિશ્રણ, ૧ કળશિયામાં પાણી, સવા શેર સિંદૂર, ///ચોખા, સોપારી,//// ઘી, દીવો, અગરબત્તી, ફૂલ અને લાલ રંગની રેશમી જમણી
કુળદેવીને સ્નાન કરાવવાની અને લેપન કરવાની વિધિ
કુળદેવીને પંચામૃત અને પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ સિંદૂરનું લેપન કરી ચોખા, સોપારી, ,//// સિંદૂર અને ઘીનું લેપન કરી ધૂપ-દીપ અને પુષ્પથી પૂજન અર્ચન કરવામાં આવે છે અને લાલ રંગની રેશમી જમણી ચડાવવામાં આવે છે.
////લગ્ન પ્રસંગે કુળદેવીને એક લાલ બકરીનો ભોગ ધરાવાય છે. બકરીને સવારે કુળદેવી પાસે લાવી તેમની મંજૂરી લેવાય છે. મંજૂરી મળતાં તેનાં પર અબિલ, ગુલાલ, પાણી, કંકુનો છંટકાવ અને ફૂલનો હાર પહેરાવી તેના કાનનો કટકો માતાજીને ધરવામાં આવે છે. આ જ બકરીનાં માંસને સૂંડલામાં મૂકી ફરી કુળદેવી પાસે લાવી ધરવામાં આવે છે. ત્યારબાદ બકરીના માંસનો પ્રસાદમાં ઉપયોગ થાય છે.////(to check Gujarati of this paragraph)
કુળદેવીને નૈવેદ્ય ધરવા માટેની જરૂરી સામગ્રી
પાંચ પાલી ઘઉંનો લોટ – રોટલી બનાવવા માટે પાંચ પાલી ચોખા – ખીર બનાવવા માટે પાંચ પાલી ચણાની દાળનો લોટ – પૂડા બનાવવા માટે પાંચ પાલી લાલ ચોળા અને ચોખા – ખીચડી બનાવવા માટે સવા પાલી ઘઉં – બાકળા બનાવવા માટે સવા પાલી ઘઉંનો લોટ – લાપસી બનાવવા માટે સવા પાલી સફેદ તલ – તલવટ બનાવવા માટે ઘઉંનો લોટ – દીવડી તેમજ સિધવાડી બનાવવા માટે લાલ ફૂલ ૨ જોડ નાળિયેર એક દારુની શીશી
કુળદેવીને નૈવેદ્ય ધરવા માટેની વિધિ
આ વિધિ પોતાના રહેવાસ સ્થાને કરવામાં આવે છે. ધૂપ-દીપ કરી એક થાળમાં નવ ખંડ ભરવામાં આવે છે. ખંડમાં ૧ પૂડો, પૂડા પર ૧ રોટલી, તેના પર ખીર, તેની બાજુમાં બાકળા તેમજ લાપસી, ૧ દીવડી અને ૧ સિધવાડી હોય છે; ખંડ પર એક લાલ ફૂલ ચડાવી જોડ નાળિયેર ધરવામાં આવે છે. ત્યારબાદ ધરેલાં બન્ને નાળિયેર વધેરી તેના પાણીથી આ સમગ્ર નૈવેદ્યને ધારાવાડી દેવામાં આવે છે. ત્યારબાદ ખેતરપાળને ખીચડી અને તલવટ તેમજ જોડ નાળિયેર ધરવામાં આવે છે. ધરેલાં બન્ને નાળિયેર વધેરી તેના પાણીથી આ સમગ્ર નૈવેદ્યને ધારાવાડી દેવામાં આવે છે.
એક લાકડાના ખાસ વાસણમાં એક સોપારી મૂકી તેમાં થોડો દારુ મૂકી દારુને જવળવામાં આવે છે અને પછી ચોખાથી વધાવવામાં આવે છે. ત્યારબાદ આ દારુને દારુની શીશીમાં નાખી ગોત્રી ભાઈઓને પ્રસાદી તરીકે પાવામાં અવે છે.
સીમંત નિમિત્તે કુળદેવીના નૈવેદ્ય
(સીમંત પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાના શણગારેલા મંડપનું પૂજન કરાય છે. પછી રાંદલનાં લોટા તેડવામાં આવે છે અને તેમને શીરો અને નાળિયેર ધરવામાં આવે છે. આ પ્રસંગે ચૌદ ગોરણીને આમંત્રણ આપવામાં આવે છે જેમાં પાંચ કુંવારી કન્યા હોય છે. ગોરણીઓને ખીર રોટલીનો પ્રસાદ અને મિષ્ટાન્ન સાથેનું ભોજન આપવામાં આવે છે.)TBC
કુળદેવીને સ્નાન કરાવવાની અને લેપન કરવાની જરૂરી સામગ્રી અને વસ્તુઓ
એક કળશિયામાં દૂધ,દહીં, ઘી, મધ, તથા ખાંડનું મિશ્રણ, ૧ કળશિયામાં પાણી, સવા શેર સિંદૂર, ///ચોખા, સોપારી,/// ઘી, દીવો, અગરબત્તી, ફૂલ અને લાલ રંગની રેશમી જમણી
કુળદેવીને સ્નાન કરાવવાની અને લેપન કરવાની વિધિ
કુળદેવીને પંચામૃત અને પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ સિંદૂરનું લેપન કરી ///ચોખા, સોપારી,//// ધૂપ-દીપ અને પુષ્પથી પૂજન અર્ચન કરવામાં આવે છે અને લાલ રંગની રેશમી જમણી ચડાવવામાં આવે છે.
કુળદેવીને નૈવેદ્ય ધરવા માટે જરૂરી સામગ્રી
પાંચ પાલી ઘઉંનો લોટ – રોટલી તેમજ નવ દીવડી અને નવ સિધવાડી બનાવવા માટે પાંચ પાલી ચોખા – ખીર બનાવવા માટે પાંચ પાલી ચણાની દાળનો લોટ – પૂડા બનાવવા માટે પાંચ પાલી ચોળા અને ચોખા – ખીચડી બનાવવા માટે સવા પાલી સફેદ તલ – તલવટ બનાવવા માટે સવા પાલી ઘઉંનો લોટ – લાપસી બનાવવા માટે સવા પાલી ઘઉં – બાકળા બનાવવા માટે સવા પાલી ઘઉંનો લોટ – રાંદલ માતા માટે ધરવામાં આવતો શીરો બનાવવા માટે એક જમણી લાલ ફૂલ બે જોડ નાળિયેર
કુળદેવીને નૈવેદ્ય ધરવા માટેની વિધિ
આ વિધિ પોતાના રહેવાસ સ્થાને કરવામાં આવે છે. ધૂપ-દીપ કરી એક થાળમાં નવ ખંડ ભરવામાં આવે છે. ખંડમાં ૧ પૂડો, પૂડા પર ૧ રોટલી, તેના પર ખીર, તેની બાજુમાં બાકળા તેમજ લાપસી, ૧ દીવડી અને ૧ સિધવાડી હોય છે; ખંડ પર એક લાલ ફૂલ ચડાવી જોડ નાળિયેર ધરવામાં આવે છે. ધરેલાં બન્ને નાળિયેર વધેરી તેના પાણીથી આ સમગ્ર નૈવેદ્યને ધારાવાડી દેવામાં આવે છે. ત્યારબાદ ખેતરપાળને ખીચડી અને તલવટ તેમજ જોડ નાળિયેર ધરવામાં આવે છે. ધરેલાં બન્ને નાળિયેર વધેરી તેના પાણીથી આ સમગ્ર નૈવેદ્યને ધારાવાડી દેવામાં આવે છે.
એક લાકડાના ખાસ વાસણમાં એક સોપારી મૂકી તેમાં થોડો દારુ મૂકી દારુને જવળવામાં આવે છે અને પછી ચોખાથી વધાવવામાં આવે છે. ત્યારબાદ આ દારુને દારુની શીશીમાં નાખી ગોત્રી ભાઈઓને પ્રસાદી તરીકે પાવામાં અવે છે.
આસો સુદ ૯ ના નૈવેદ્ય
આ વિધિ પોતાના રહેવાસ સ્થાને કરવામાં આવે છે. કુળદેવીને ધૂપ-દીપ અને પુષ્પથી પૂજન અર્ચન કરી એક થાળમાં નૈવેદ્યનાં 9 ખંડ ભરવામાં આવે છે. ખંડમાં ૧ રોટલી, તેના પર ખીર, તેના પર ૧ દીવડી અને ૧ સિધદ્ધવાડી હોય છે. ખંડ પર એક લાલ ફૂલ ચડાવવામાં આવે છે. શેષ રોટલી પર ખીર અને ખીર પર એક ચાર વાટનો પ્રગટાવેલો દીવડો મૂકવામાં આવે છે. ત્યારબાદ હિંગળાજ માતાનું નામ સ્મરણ કરી આ સમગ્ર નૈવેદ્યને પાણીની ધારાવાડી દેવામાં આવે છે.
કાળી ચૌદશના નૈવેદ્ય
કુળદેવીને ધૂપ-દીપ અને પુષ્પથી પૂજન અર્ચન કરી એક થાળમાં નૈવેદ્યનાં 9 ખંડ ભરવામાં આવે છે. ખંડમાં ૧ રોટલી, તેના પર ખીર, તેના પર ૧ દીવડી અને ૧ સિધદ્ધવાડી હોય છે. એક નાળિયેર ધરવામાં આવે છે. આ સમગ્ર નૈવેદ્યને પાણીની ધારાવાડી દેવામાં આવે છે. ત્યારબાદ ધરેલું એક નાળિયેર વધેરવામાં આવે છે. ત્યાર પછી ખેતરપાળ માટે ખીચડી, તલવટ તેમજ દીવડી અને સિધવાડી અને એક નાળિયેર ધરવામાં આવે છે. ધરેલું નાળિયેર વધેરી તેના પાણીથી આ સમગ્ર નૈવેદ્યને ધારાવાડી દેવામાં આવે છે.
You may also search for the following family names:
Khedu, Khedu Jadav, Ginari Jadav, Solanki, Shamal, Parmar, Gohil, Uneval, Tita Chauhan, Tita, Rathod, Rajvanshi Rathod, Padhiar, Chapeliya, Vataliya Parmar, Vaja, Tita Chohan, Tikadiya Rathod, Tank, Sarvaiya, Sabar, Rathod Raghuvanshi/Rajvanshi, Modi, Mandaliya, Makwana-Vadhvana, Makwana, Khareliya, Katva, Kadiya, Jadav, Gibnari, Bharkheda, Bardai Jethwa.
Copyright © 1998-2011 GenoPro Inc. All rights reserved. Download GenoPro from http://www.genopro.com/